પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે સ્વર્ગીય મણાજી રંગાજીની પુણ્ય તિથિ નિમિત્તે મીની અંબાજી શક્તિપીઠના મહંત શ્રી અંકુશગિરિના સાનિધ્યમાં યોજાયો હતો જેમાં આકોલી ભક્ત મંડળના ગાયક કલાકાર બી. કે. વાઘેલા એ ભજનની મોજ કરાવી હતી ત્યારે બેન્જો વાદક સદુભા વાઘેલા અને તબલા વાદક રાજુગિરિ ગૌસ્વામી તેમજ હારમોનીયમ વાદક કાળુભા સોલંકી સહિત બચુભા ભગત. શાંતિ ભગત. તેમજ બહુચરાજી તાલુકાના સુજાણપૂરા ભક્ત મંડળ સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઊપસ્થિત રહ્યા હતા
જેમાં પૂજન. આરતી. થાળ ધરાવી સ્વર્ગીય આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને વ્યસન મુક્તિ અને ભજન સત્સંગમાં સંતોની સેવા માટે ભકતોને શ્રી અંકુશગિરિ બાપુ એ જણાવ્યું હતું.ત્યારે જલારામ જોષી (રાધા કૃષ્ણ ભગવાન મંદીર પુજારી) ખાસ કરીને પોતાની આગવી અલૌકિક કળા થી ખડતાલ વગાડી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આમ દિવંગત આત્માની શાંતિ માટે ભજન સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.