આજરોજ જામકંડોરણા ગૌરક્ષક સેવા સમિતિ અને કરણી સેના દ્વારા રાજપૂત સમાજ ખાતે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધંધુકામાં જે બનાવ બન્યો એમાં ગૌરક્ષક સ્વ.કિશનભાઈ ભરવાડને જે રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એ અનુસંધાને ગૌરક્ષક સ્વ.કિશનભાઈ ભરવાડની આત્માને શાંતિ મળે એ માટે ગૌસેવા સમિતિ જામકંડોરણાના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા એ બધાને 2 મિનિટનું મૌન રખાવ્યું હતું.તેજુભા જાડેજા,મનીષભાઈ સોલંકી,ક્રિપાલસિંહ જાડેજા,નાજાભાઈ ભરવાડ, એ તમામ ને એક થવા હાકલ કરી હતી.
કાર્યક્રમ માં ધોરાજી થી બજરંગ દળ પ્રમુખ સંદીપભાઈ ટોપીયા, વી.હી.પ.ના મંત્રી મનીષભાઈ સોલંકી,ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, રાજપુત સમાજ પ્રમુખ તેજુભા જાડેજા,કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ગૌ સેવા ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ,જાનીભાઈ,જયુભા ચૌહાણ,નાજાભાઈ ભરવાડ, વિપુલભાઈ રબારી,સાગર ભરવાડ,ભીખાભાઇ બારોટ,ભુપતભાઇ,સંજય વાઘેલા,દિનેશ,વિશુભાઈ ભટ્ટ,લાલભાઈ ભરવાડ,ભાણાભાઈ તેમજ તમામ સમાજના અગ્રણી અને ગૌરક્ષક મિત્રો એ હાજરી આપી હતી.માલધારી સમાજ ની મહિલા ઓએ પણ હાજરી આપી હતી.