કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની જમ્મુ -કાશ્મીરની મુલાકાતે છે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, શાહ સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરશે અને J&K ના યુવા સભ્યો સાથે વર્ચ્યુઅલ રીતે વાર્તાલાપ કરશે. ગૃહમંત્રી પ્રથમ શ્રીનગર-શારજાહ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઉદ્ઘાટન પણ કરશે. શનિવારે, સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે શાહની બેઠક શ્રીનગરના રાજભવનમાં યોજાશે ત્યારપછી તે J&Kની યુથ ક્લબના યુવા સભ્યો સાથે વાર્તાલાપ કરશે અને પછી વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્રીનગર-શારજાહ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું ઉદ્ઘાટન કરશે.સુરક્ષા પગલાંના ભાગ રૂપે ત્રણ દિવસ પહેલા – મોટાભાગે એવા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. મુલાકાત માટે સઘન સુરક્ષા રાખવામાં આવી છે.