કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી અથડામણ થઇ રહી છે.રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના નવ સૈનિકો ગુમાવ્યા હતા. ત્યારે CDS જનરલ બીપીન રાવત દ્વારા જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ત્યારે છેલ્લા ઘણા સમયથી લશ્કર-એ- તૈયબાના ૮ થી ૯ આતંકવાદીઓ પાકિસ્તાનથી રાજૌરી-પૂંછ જિલ્લાની સરહદો વચ્ચેના જંગલોમાં ઘુસી ગયા હતા.ત્યારે આજે રાજૌરી સેક્ટરના ગાઢ જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ