દિલ્હી માં વધતા કેસના લીધે રાત્રિ કર્ફ્યું કરવામાં આવ્યું છે.રાત્રે ૧૦વાગ્યા થી લઈને સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યું રહેશે.આ કર્ફ્યું ૩૦ એપ્રિલ સુધી આ કર્ફ્યું લાદવામાં આવ્યો છે.વધતા સંક્રમણને પગલે દિલ્હી સરકારે આ મોટો નિર્ણય કર્યો હતો.જીવન જરૂરિયાત માટે ની વસ્તુ ચાલુ રહેશે.આ દરમિયાન જેને વેક્સીન લેવી હોય એમને છૂટ આપવામાં આવી છે.પરંતુ ઈ- પાસ લેવો પડશે.આઈડી કાર્ડ સાથે જ પ્રાઇવેટ ડોક્ટર , નર્સ, પેરામેડીકલ સ્ટાફને છૂટ મળશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ, દિલ્હી મેટ્રો તેમજ રીક્ષા માટે સમય નક્કી કરી દેવામાં આવ્યો છે.નાઈટ કર્ફ્યું દરમિયાન પણ છૂટ આપવામાં આવી છે.જરૂરી સેવા માટે કોઈ રોક કરવામાં આવી નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ