કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજાયને રાજ્યની કોવિડ-19 પરિસ્થિતિની પહોંચી વળવા માટે 16મી મે સુધી રાજ્યવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. 8 મેથી 16 મે દરમિયાન સવારે 6 વાગ્યાથી સમગ્ર કેરાલા રાજ્ય લોકડાઉન હેઠળ રહેશે. એમ વિજાયને ટ્વિટમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ બુધવારે રાજ્યની “ગંભીર પરિસ્થિતિ” પર પ્રકાશ પાડ્યો હતો અને લોકડાઉન થવાની સંભાવના દર્શાવી હતી અને કહ્યું હતું કે “પરિસ્થિતિ રાજ્યમાં વધુ પ્રતિબંધો લાદવાની માંગ કરે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ