હિતેશ ગજ્જર, અમદાવાદ
સ્વયમ્ સૈનિક દળ (SSD)દ્વારા 23 સપ્ટેમ્બર 1917ના રોજ બાબા સાહેબ દ્વારા જે સંકલ્પ લીધેલ તેને ધ્યાનમાં લઈ અને આજરોજ 26 સપ્ટેમ્બર 2021 રવિવારના રોજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રેલી, સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલુ હતું. રેલીનો રૂટ – શાંતિકુજ સોસાયટી થી ચાલુ કરવામાં આવી હતી ત્યાંથી વાળીનાથ ચોક થઈ અચલ એપાર્ટમેન્ટ થઈ કડી બેંક થઈ શોપ એન્ડ સ્માઈલ થઈ નીલકંઠ રેસિડેન્સી પૂર્ણ કરવામાં આવી. રેલીમાં નાના બાળકો, બહેનો, ભાઈઓ અને વડીલોએ ભાગ લીધો હતો તમામ સૈનિકો થઈ અને આશરે 200 જેટલા સૈનિકો જોડાયેલા હતા. રેલી પૂર્ણ થયા બાદ એક સભાનું આયોજન કરેલ હતું જેમાં સંકલ્પદિન વિશે વાત કરવામાં આવી, સમાજમાં જે વ્યશન , સ્ત્રિ શક્તિનુ અવમુલ્યન , જુગાર સટ્ટા , ઘર પર બોજ બની બેઠેલા યુવાનો વગેરે જેવી બરબાદીઓ ઘર કરી ગઈ છે. તેના વિશે વાત કરવામાં આવી, બાબા સાહેબએ લીધેલા સંકલ્પની વાત કરવામા આવી.
ત્યારબાદ બ્લડ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો બ્લડ કેમ્પમાં 42+ જેટલી બોટલો ડોનેટ કરવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
જે સૈનિકો કાર્યક્રમમાં ભાગ લીધો અને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી એ બધા સૈનિકોને લાખ લાખ સલ્યુટ