સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાસંકુલ ખાતે આગામી તા. 25 -9-2021 શનિવારના રોજ સવારના 8:00 થી 2 વાગ્યા સુધીમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું છે સંસ્થાના સ્થાપક સદૃગુરુ પુરાણી સ્વામીશ્રી નારાયણપ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિમાં આયોજીત આ રક્તદાન કેમ્પમાં સરદારનગર હાઇસ્કુલ ,નેમિષારણ્ય સ્કુલ જીઆઇડીસી સ્કૂલ, નિર્ભય સોસાયટી અને ફુલસર સ્કૂલના આચાર્યશ્રીઓ તથા શિક્ષકો તેમજ સ્ટાફ આ રક્તદાન કેમ્પમાં જોડાશે સંસ્થાના સંચાલક શ્રી કેશવપ્રકાશદાસજી (કે.પી સ્વામી) એ ભવ્ય રક્તદાન કેમ્પમાં ભાવનગરના નગરજનોને રક્તદાન કરવા અપીલ કરી છે અને કહ્યું છે કે ચાલો રક્તદાન કરી લોકોની મહામૂલી જિંદગી બચાવી એ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ છેલ્લા સાત વર્ષથી સદગુરુ પુરાણી સ્વામી શ્રી નારાયણપ્રિયદાસજી ની પુણ્યતિથિ માં રક્તદાન કેમ્પ આયોજિત કરી તમામ બ્લડ ભાવનગર બ્લડ બેન્કને સુપ્રત કરેલ છે આવી અનેક સેવાભાવી કામગીરી સંસ્થા ના સંચાલક શ્રી કે.પી.સ્વામીના સાનિધ્યમાં થઈ રહી છે