Aapnu Gujarat
ગુજરાત

શિશુવિહાર પ્રાંગણમાં ૪૨૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

શિશુવિહાર પ્રાંગણમાં સ્વ.શ્રી પ્રભુદાસભાઈ માણેકલાલ કોઠારીની સ્મૃતિ માં ૪૨૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી સોનલબહેન હિમાંશુભાઈ પટવારીના સૌજન્ય થી તા.૨૪ સપ્ટેમ્બરનાં રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૨૭ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૩ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી હસમુખભાઈ દામોદરદાસ સરવૈયા તથા શ્રીમતી સુધાબહેન હસમુખભાઈ સરવૈયાનાં સહયોગથી યોજાએલ. આ બંને શિબિરોના ૧૨૭ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે શ્રી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલાના સહયોગથી બનાવેલ અન્નપૂર્ણા ભોજનાલય માં ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૨૬ દર્દી તથા તેમના ૧૫ સગા-સબંધીઓ ને ખાસ વાહન માં વિરનગર લઇ જવામાં આવેલ દર્દી નારાયણોની સેવા કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં દિવ્યજીવન ના સ્વયં સેવક શ્રી નવીનભાઈ પટ્ટણી શ્રી યોગેન્દ્રભાઈ શાહ તથા હેમાલિબહેન ભટ્ટ એ સંસ્થા કાર્યકરો સાથે સેવા આપી હતી.

Related posts

ચોરી કરેલી બાઈક સાથે ઇસમને ગોધરા બી-ડીવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

editor

પૂર્વ સૈનિકોને મળવાપાત્ર પેન્શનની ગણતરી કરવા માટેનું સોફ્ટવેર જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં ઉપલબ્ધ

aapnugujarat

સરકાર સાથે સમાધાન થતાં શિક્ષકોની હડતાળ સમેટાઇ : અમારા પ્રમુખ ફુટી ગયા છે : શિક્ષકોનો આરોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1