જિતેન્દ્રકુમાર અગ્રવાલ, ઇકબાલગઢ
મા. વડાપ્રધાનશ્રી ના જન્મદિવસ નિમિત્તે 17-09-2021ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમીરગઢ, મુ.ઇકબાલગઢ ખાતે વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બજાર સમિતિના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, ડિરેક્ટર્સ,વનવિભાગ બનાસકાંઠા જિલ્લાના ડી.એફ.ઓ.સાહેબશ્રી,અમીરગઢના આર.એફ.ઓ. શ્રી,તથા અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખશ્રી, ગામના આગેવાનો, વેપારી મિત્રો, ખેડૂત મિત્રો અને બજાર સમિતિના સેક્રેટરી તથા
કર્મચારી ગણ હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવેલ છે. તેમજ સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવ્યુ