ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ ને પગલે જળ પ્રલય ની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી પાણી ભરાયા છે.ઉત્તર પ્રદેશના અનેક જીલ્લામાં મેઘપ્રલય થયો છે. ત્યારે ભારે વરસાદ થી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.વરસાદ ને કારણે મકાન અને દીવાલ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે યુ.પી સરકાર એક્શનમાં આવી છે. સરકાર દ્વારા બે દિવસ શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વરસાદ થી અનેક વિસ્તારો પાણી માં ગરકાવ થઇ ગયા છે.આ ભારે વરસાદ થી ૩૦થી વધુ લોકોના મોતના સમાચાર છે.