ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
મુળી તાલુકાનાં રાણીપાટ ગામે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો જેમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો દરબાર ગઢ નાં ચોક ખાતે મટકીફોડ યોજાયો હતો જેમાં પ્રખ્યાત રાસ મંડળી અને વિવિધ વેશભૂષા ધારણ કરી ગોકુળ ગામ બની ગયું હતું સાથે દેશી ઢોલ નાં તાલે રાસ મંડળ અને કાન ગોપી ગીત સાથે અનોખો કાર્યક્રમ યોજી ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી સમગ્ર ઉત્સવ ની છેલ્લા બે દિવસથી તૈયારી ઓ ચાલી રહી હતી
તેમજ કોરોના મહામારીમાંથી લોકો મુક્તિ મળે છે અને પોતાનું આરોગ્ય જળવાઈ રહે અને મુક્તપણે રોજિંદુ જીવન જીવી શકે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે
જેમાં રાણીપાટ નાં યુવા આગેવાન મુન્નાભાઈ (રાઘવેન્દ્ર સિંહ રાણા) ઋષીભાઈ રાણા અને રાણીપાટ યુવક મંડળ દ્વારા આયોજીત કરવામાં આવેલ હતું