સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા
ભારતીય જનતા પાટીઁ દ્વારા આયોજીત જન આશીઁવાદ યાત્રા સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાના 54 સ્થળો પર ચાર દિવસના પ્રવાસ કરવાનુ આયોજન હતુ જેમા કાલે આ જન આશીઁવાદ યાત્રા ધ્રાંગધ્રા મુકામે પહોંચશે સવારે 8:30 કલાકે ચુલી ગામે પહોંચતી યાત્રા બાદમાં સોલડી ગામ, ધ્રાંગધ્રા શહેર અને અંતે વસાડવા ગામની ચોકડી પર સ્વાગત બાદ પાટડી તરફ પ્રયાણ કરશે ધ્રાંગધ્રા શહેર ખાતે આવનાર યાત્રાના સ્વાગત માટે ધ્રાંગધ્રા ભારતીય જનતા પાટીઁના શહેરી હોદ્દેદારો તથા ચુટાયેલા સુધરાઇ સભ્યોની મીંચીને પણ આયોજન કરાયુ હતુ આજે જન આશીઁવાદ યાત્રાના રુટ અને સ્વાગતની ખાસ નોંધાવાઇ હતી આ યાત્રા શહેરી વિસ્તારના ગુરુકુળ ગેઇટ પાસે આવી પહોચ્યા બાદ હળવદ રોડ, ઘાટ દરવાજા બાદ સમગ્ર શહેરના મુખ્ય બજારમા યાત્રા નિકળશે ત્યાર બાદ યાત્રા તેના આગળના રુટ પર પ્રયાણ કરશે આ સમય દરમિયાન ભારતીય જનતા પાટીઁના તમામ હોદ્દેદારો તથા સુધરાઇ સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારમા યાત્રાને સ્વાગત માટે તૈયારી હાથ ધરશે.