કડીના માથાસુર ગામનાં તળાવ કિનારે રાજ્ય સરકાર દ્વારા નમામી દેવી નર્મદે મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં લાયઝન તરીકે અંકિત પટેલ, સરપંચ પલ્લવી મકવાણા, તલાટી કમ મંત્રી, પ્રાથમિક શાળા આચાર્ય,સ્ટાફ, બાળકો, આશા વર્કર, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી કાર્યકર, તેડાગર તથા ગ્રામજનો હાજર રહ્યાં હતાં. તમામ હાજર કર્મચારીઓ, ગ્રામજનોનો ખૂબજ આભાર સાથે સરપંચ પલ્લવી મકવાણાએ એ સ્વરછતા અભિયાન અંતર્ગત જાગૃતિ લાવવા કહ્યું હતું અંતે લાડુની પ્રસાદ આપવામાં આવી.
પાછલી પોસ્ટ