Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં ભાઈએ ભાઈની કરી હત્યા

અમદાવાદના મણિનગર વિસ્તારમાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રવિવારે બની હતી, જેમાં મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોઈ કારણોસર થયેલા ઝઘડામાં બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાઈને નાનાભાઈએ ગેસનો બાટલો ઉંચકી મોટાભાઈને માથામાં મારી દીધો હતો. જેમાં મોટાભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ મણિનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મણિનગર વિસ્તારમાં આવેલી ગણપત ગલીમાં રહેતા સુભાષ ગોગવલે (૩૬) રવિવારે બપોરે બે વાગ્યે ઘરે આવીને તેના નાનાભાઈ નિલેશ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં મોટાએ ગેસનો બાટલો ઉપાડી નાનાભાઈને મારવા ગયો હતો. ત્યારે ઉશ્કેરાયેલા નિલેશે મોટાભાઈ હાથમાંથી ગેસનો બાટલો લઈને તેના જ માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારીને પતાવી દીધા હતા. બનાવની જાણ થતાં મણિનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી ભાઈની ધરપકડ કરી હતી.
શહેરના વસ્ત્રાલ લેક નજીક અવાવરૂ જગ્યાએ ઝાડીઓમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાનું માથું અને ધડ અલગ અલગ જાેવા મળતાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી હતી. પરતું પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, મૃતક મહિલાની ઓળખ વસ્ત્રાલમાં રહેતાં ૬૩ વર્ષીય આનંદીબેન બાબુભાઈ પોલ તરીકે થઈ હતી. વૃદ્ધ મહિલા લાશને પશુ-પક્ષી ફાડી નાંખીને કમરના ઉપરનો ભાગ કરડી ખાધો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે, વૃદ્ધ મહિલા બીમારીની કંટાળીને ઘરેથી ચાલ્યા ગયા હતા.

Related posts

સોમનાથ દર્શનાર્થે આવતાં ભક્તો માટે તંત્ર દ્વારા મંડપ બાંધવામાં આવ્યાં

aapnugujarat

हीरो मोटोकॉर्प का लाभ 14% बढ़कर 1,029 करोड़ रुपए

editor

ગીર-સોમનાથ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો સીડોકરથી પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1