મહેશ ઉતેરીયા, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી અને ખનીજ માફીયાઓ બેફામ બની જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીમાં રેતી ચોરી અંગે વ્યાપક બુમરાડો ઉઠવા પામી છે ત્યારે વઢવાણ તાલુકાના વસતડી ગામે થતી રેતી ચોરીના મામલે સુરેન્દ્રનગર શહેરમાં રતનપર વિસ્તારમાં શક્તિનગરમાં રહેતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદીપભાઇ ધીરૂભાઈ વસ્તાણીએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.11-8-21ના રોજ બપોરે એક જાગૃત નાગરીકે ફોન કરી વસ્તડી ભોગાવો નદીમાં મેલડીમાં મંદિર પાછળ અમુક લોકો રેતી ચોરી કરે છેની જાણ કરી હતી. ત્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના યુવા પ્રમુખ
પ્રદિપભાઈ વસતાણીએ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. ત્યારબાદ પ્રદીપભાઈ અજાણ્યા શખ્સનો ફોન આવતા કોણ બોલો છો પૂછતા તારો બાપ બોલું છું બીજીવાર પૂછતા અપશબ્દો બોલવા માંડ્યો હતો અને રેતી ભરવાનું તો ચાલુ જ રહેશેનું જણાવી તું વસ્તડી આવ તારા ટાંટિયા ભાંગી નાંખવાના છે તને કાપી નાંખવાનો છે તેમ જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફોન કાપી નાંખ્યો હતો. આ ફોનમાં વાત દરમિયાન અન્ય એક વ્યક્તી પણ અપશબ્દો બોલતો જણાયો હતો. આથી 2 અજાણ્યા માણસ સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રદીપભાઈ વસતાણીએ ફરિયાદ નોંધાવી છે.