સુરેશ ત્રિવેદી, ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં દીપડાની રંજાડ યથાવત જોવા મળી રહી છે વન વિભાગ દ્વારા પણ દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે જીવાપુર ગામે પાલીતાણાના ફિલ્ટર પ્લાન્ટ પાસે દિનુભાઈ સમાના સાત બકરા પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં પાંચ બકરાના મોત નિપજ્યા તેમજ એક બકરાને ઘાયલ કરવામાં આવ્યો ત્યારે ગ્રામજનો માં દીપડાએ કરેલ મારણને લઈને ફફડાટ વ્યાપી ગયો છે જીવાપુર ગામ ના સરપંચ ના જણાવ્યા અનુસાર વનવિભાગને જાણ કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન અવરજવર કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.