પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉજ્જવલા યોજના 2.0 ઉત્તર પ્રદેશના મહોબાથી શરૂ કરવામાં આવી છે. ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાની નીચેના પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે.આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, લાભાર્થીઓને વિનામૂલ્યે પ્રથમ રિફિલ આપવાની સાથે, ચૂલો પણ મફત આપવામાં આવશે.કોઈ પણ જગ્યા એ ગેસ કનેક્શન મેળવી શકાશે.આ સાથે, લાભાર્થીઓને ફાયદો થશે કે નોકરી બદલવા અથવા ભાડાના મકાનમાં ફેરફારને કારણે ગેસ કનેક્શન મેળવવામાં કોઈ સમસ્યા નહીં હોય. લાભાર્થીઓને શુભેરછા આપી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ