દિગ્ગજ ટીવી અભિનેતા અનુપમ શ્યામ, આજે ૬૩ વર્ષની વયે નિધન પામ્યા છે. અનુપમ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા.મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલમાં કીડની ઈલાજ ચાલી રહ્યો હતો.કીડની ફેલ થતા આજે તેમનું નિધન થયું હતું.
મન કી આવાજ પ્રતિજ્ઞા શોમાં ઠાકુર સજ્જન સિંહના પાત્ર માટે જાણીતા હતા.તેમને અન્ય શો જેમ કે ક્યુકી જીના ઇસીકા નામ હૈ,અમરાવતી કી કથાયે, ડોલી અરમાનો કી જેવા શોમાં અભિનય કર્યા છે.તેને પરઝાનીયા, લગાન , નાયક અને ઓસ્કર વિજેતા ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનેર જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.