ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
રાજ્યભરમાં હાથ ધરાયેલ “૫ વર્ષ આપણી સરકારના, સૌના સાથ-સૌના વિકાસના” જન સેવાયજ્ઞના આઠમા દિવસે ‘શહેરી જન સુખાકારી દિવસ’ નિમિત્તે સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મનદીપ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે રાજ્યની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. જયારે જિલ્લાની વિવિધ નગરપાલિકા ના વિકાસના કામો ના ઈ લોકાપર્ણ ના કાર્ય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ અને જિલ્લા ની નગરપાલિકા ના પ્રમુખ તેમજ જિલ્લાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.