કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ ધોષિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આ અંગે જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે, ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે. મોદીએ કહ્યું- ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે