રાજ્યમાં એશિયાટિક લાયન્સની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૨૧ માં વન વિભાગના કર્મચારીઓ દ્વારા પુન અવલોકનમાં સાવજાેની ૬૭૪ સંખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ સમગ્ર એશિયમાં ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન્સ જાેવા મળે છે.
ગુજરાતમાં સિંહોનું સારા પ્રમાણમાં સંવર્ધન થઇ રહ્યુ છે.રાજ્યમાં સિહોંની ગણતરી દર ૫ વર્ષ કરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૫ સિંહોની ગણતરી કરવામાં આવી ત્યારે તેની સંખ્યા ૫૨૩ હતી. આ મામલે વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કારણે ચાલુ વર્ષે સિંહોની ગણતરી થઇ શકી નથી પરંતું પનમ અવલોકનમાં સિંહની વસ્તી ૬૭૪ હોવાનું જાણવા મળ્યુ છે.
પાછલી પોસ્ટ