Aapnu Gujarat
રમતગમત

યુએઇમાં રમાશે ટી-૨૦ વર્લ્ડકપ

કોરોનાને પગલે આ વર્ષે ભારતમાં યોજાનારું ટી-૨૦ વર્લ્ડકપ યુએઇ શિફ્ટ કરાશે. બીસીસીઆઇ સચિવ જય શાહે આ વાતની જાણકારી આપી છે. જય શાહે જણાવ્યું કે, બીસીસીઆઇ સોમવારે આઇસીસીને જણાવશે કે, ટી-૨૦ વર્લ્ડકપને યુએઇ શિફ્ટ કરાઇ રહ્યું છે. ટૂર્નામેન્ટની તારીખનો ર્નિણય આઇસીસી કરશે. બીસીસીઆઇએ આઇસીસી પાસેથી ૨૮ જૂન સુધીનો સમય માંગ્યો હતો.અહેવાલો અનુસાર, ટી-૨૦ વર્લ્ડ વર્લ્ડકપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી થઇ શકે છે અને ટૂર્નામેન્ટની ફાઇનલ ૧૪ નવેમ્બરે રમાશે. ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં યુએઇમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બાકીની ૩૧ મેચો ખેલાશે. આઇપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની મેચોની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે અને ફાઇનલ મેચ ૧૫ ઓક્ટોબરે રમાશે.અગાઉ આઇસીસીએ સ્પષ્ટ કહ્યું હતું કે, ટી-૨૦ વર્લ્ડકપ યુએઇ શિફ્ટ હોવા છતાં હોસ્ટિંગ રાઇટ બીસીસીઆઇ પાસે જ રહેશે. કોરોનાને પગલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપને સ્થગિત કરવું પડ્યું હતું, જે હવે આગામી વર્ષે એટલે ૨૦૨૨માં રમાશે. ઉલ્લેખનીય છે કે, અમીરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) માટે આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડકપની સતત મેજબાની કરવી સરળ નહીં હોય. આઇપીએલની ગઇ સિઝન પણ યુએઇમાં રમાઇ હતી. કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતાં બીસીસીઆઇએ ૪ મેના રોજ આઇપીએલ ૨૦૨૧ સ્થગિત કરવાનો ર્નિણય લીધો હતો.

Related posts

દિનેશ કાર્તિક કરતાં પંત સારો વિકેટ કિપર : અઝહરૂદ્દીન

aapnugujarat

श्रीलंकाई युवा टीम ने पाकिस्तान का घर में किया सूपड़ा साफ

aapnugujarat

केंद्र में मोदी की भक्ति से भी बड़ी BCCI में कोहली भक्ति : रामचंद्र गुहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1