પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અજહરૂદ્દીનનું માનવું છે, કે દિનેશ કાર્તિકની તુલનાએ પંત સારી વિકેટકિપીંગ કરી રહ્યો છે. અને ટીમ પ્રબંધકે આગામી મેચોમાં તેને વિકેટકિંપિંગની જવાબદારી સોપવી જોઇએ. અજહરૂદ્દીને પત્રકારોને કહ્યું કે, તમારે પંત પર વિશ્વાસ કરવો પડશે. જો તે ઇગ્લેન્ડમાં ટેસ્ટમાં વિકેટકીપિંગ કરવા માટે સક્ષમ છે, તો ટી-૨૦માં કેમ નહિ. અને એમાં કોઇ પણ સંદેહ નથી કે તેણે ઇગ્લેન્ડમાં કાર્તિકની તુલનાએ સારી વિકેટકિપિંગ કરી છે.
હૈદરાબાદના આ પૂર્વ બેસ્ટમેને કહ્યું કે‘હું ઇમાનદારીથી કહું છું કે આજે પંતની વિકેટકીપિંગ કરવી જોઇત હતી. જો તમે વિકેટકિપર છો તો તમારે વિકેટકિપિંગ કરવી જોઇએ. તે સારો ખેલાડી છે. તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. એ જેટલી વધારે વિકેટકિપિંગ કરશે તેટલું વધારે તેને શીખવા મળશે. અત્યારે મને એવું લાગે છે, કે તેણે વિકેટકિંપિંગમાં સુધારો લાવવાની જરૂર છે.’અજહરે સાથે કહ્યું કે આગામી દિવસોમાં ડાબોડી બોલર કુલદીપ યાદવ પણ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.