શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ભગવાન સોમનાથને પ્રથમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજા ચઢાવવામાં આવતી હોય છે, યોગાનુયોગ રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલનો જન્મદિવસ હોય અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી દ્વારા પારંપરીક ધ્વજાપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફીસર, જનરલ મેનેજર સહિત ટ્રસ્ટના અધિકારી અને કર્મચારી હાજર રહ્યાં હતાં. સૌએ અધ્યક્ષ કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
ધ્વજાપૂજા પછી શ્રાવણના સોમવારે પારંપરીક નીકળતી પાલખીયાત્રા સોમનાથ પરિસરમાં ફરી હતી, મહાદેવ સ્વયંભુ નગરચર્યાએ નીકળેલ હોય ત્યારે ભક્તો બમ બમ ભોલ ના નાદથી પરિસર ગુંજી ઉઠેલું, ઉપસ્થિત સૌ યાત્રિકો મહાદેવની પાલખીયાત્રામાં જોડાયેલ હતા.
મિનાક્ષી ભાસ્કર વૈધ (સોમનાથ)