અરવલ્લીથી અમારા સંવાદદાતા સતીષ સોલંકી જણાવે છે કે,2019 માં તાલીમ લીધેલ તાલીમાર્થી ઓની પરીક્ષા ન લેવાતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .છેલ્લા 2 વર્ષથી એચ.એસ.આઇ ના કોર્ષની લેવાતી નથી પરીક્ષા તે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પરીક્ષા ન લેવાતા તાલીમાર્થીઓ સરકારી ભરતી કે પ્રાઇવેટ ભરતીમાં અરજી કરી શકતા નથી.
તાલીમાર્થીઓએ પરીક્ષા યોજી પરીક્ષા લેવા અથવા માસ પ્રમોશન આપવા જિલ્લા કલેકટરને કરી હતી માંગ અને તાલીમાર્થીઓએ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ના પદની ભરતીને લાયકાત પૂર્ણ કરેલ છે તેમ છતાં પણ પરીક્ષા લેવામાં આવતી નથી અને યોગ્ય ન્યાય મળે તેવી અરજ કરી હતી.કોવીડ-19 ની વૈશ્વિક મહામારીને લઈને પરીક્ષા રખાઈ હતી મોકૂફ જે પરીક્ષા લેવા માં આવે તે બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ નોન ટેકનિકલ ટ્રેડ હોવાથી માસ પ્રમોશન અપાય અથવા પરીક્ષાના આયોજન ની માંગ કરવામાં આવી હતી …
પાછલી પોસ્ટ