Aapnu Gujarat
ગુજરાત

ગીર-સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલની અવિરત કામગીરી

ગીર-સોમનાથથી અમારા સંવાદદાતા માલદે ગોહેલ જણાવે છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી કરવામાં આવી હતી.
        વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સયમમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હતો. જેને સફળ રીતે પાર પાડવા ઉના પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી યશપાલ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનીયર ઇજનેરશ્રી એમ.એન.જાદવ અને તેમની ટીમ દ્વારા આગોતરા પ્લાનિંગ સાથે રાત-દિવસ જોયા વગર ઉના અને ગીરગઢડામાં વીજપુરવઠો પુર્વવત કરવા યુધ્ધના ધોરણે ચાલતી કામગીરીમાં સમયબધ્ધ માલ-સામાન પહોંચાડવામાં સફળ રીતે કામગીરી કરવામાં આવી હતી.
        ઉના અને ગીરગઢડામાં વીજળી પુર્વવત કરવા રીસ્ટોરેશન માટે અમરેલી, ભુજ, પોરબંદર, જામનગર, રાજકોટ સહિત જિલ્લામાંથી માલ-સામાન મંગાવવામાં આવ્યો હતો. જેમાં ૧૧ કે.વી. થી લઇને એલ.ટી. લાઇનમાં જોઇતા તમામ સાધાન-સામગ્રીનો સમાવેશ થાય છે. જેને તાત્કાલીક સમયમર્યાદામાં પહોંચાડવાના કાર્યને પાર પાડવા ઉના પીજીવીસીએલ કચેરીના ૭ સ્ટાફ અને ૪૦ લેબર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડામાં પીજીવીસીએલને મોટું નુકશાન થયું હતું. ખોરવાયેલ વીજપુરવઠો ચાલુ કરતા મહિનાઓ લાગે તેવું કામ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બધી જ કામગીરીમાં બહારથી માણસો બોલાવીને યોગ્ય આયોજન કરીને થોડા જ દિવસોમાં વીજળી એક પછી એક ગામમાં પુન:ચાલુ થઇ ચુકી છે.

Related posts

અમદાવાદ યુનિવર્સિટી ખાતે મેકર ફેસ્ટ-૨૦૧૮નો પ્રારંભ

aapnugujarat

प्रधानमंत्री मोदी ने अहमदाबाद-सूरत मेट्रो प्रोजेक्ट का किया शिलान्यास

editor

રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત થયું નથી : રૂપાણી

editor

Leave a Comment

UA-96247877-1