ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ભાવનગર શહેરની મધ્યમાંં રૂપાણી સર્કલ પાસે આવેલ અઢીસો વર્ષ જુનું ગોળીબાર હનુમાન જી મંદિરના મહંત પરમ પૂજ્ય મદન મોહન દાસજી બાપુ તેઓની ઉંમર અત્યારે ૧૧૩ વર્ષ છે. તેઓએ આજે કોરોના રસી મુકાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલને માન આપી દરેક લોકો રસી મુકાવી અને કોરોના થી મુક્ત થાય સરકારના આ અભિયાનને લોકો ઉત્સવની જેમ વધાવી લે તેમ જય રામજી કી ઈચ્છા છે તેમ કહ્યું હતું પરમ પૂજ્યબાપુ સાથે ગોળીબાર મંદિરના કલ્યાણી બેન તથા શૈલેષ બાપુ જોડાયા હતા.