ઉપલેટાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, રાજકોટ જિલ્લા ના ઉપલેટા ના તાલુકા ના ગઢાળા ગામ માં તાઉતે વાવાઝોડા ની ભારે અસર જોવા મળી હતી.ઉપલેટા ના તાલુકા ના ગઢાળા ગામ માં કેસર કેરી ના પાક માં ભારે નુકસાન થયું છે.વાવાઝોડા ને કારણે કેસર કેરી ની પુષ્કળ પાક ખરી પડ્યો. કેસર કેરી નો પાક ખરી પડતાં કેરી નું વાવેતર કરતા ખેડૂતો ને આર્થિક નુકસાન ભોગવના દિવસો આવ્યા છે.235 વીઘા ની તૈયાર થઈ ગયેલ કેરી ખરી પડતાં ખેડૂતો ને લાખો રૂપિયા નું નુક્સાન સહન કરવું પડશે.અગાઉ ધુમ્મસ ને કારણે કેરી ના પાક માં રોગ આવી ગયો હતો અને હાલ માં કેરી નો પાક ખરી પડતાં ખેડૂતો એ રાતા પાણી એ રોવા નો વારો આવ્યો. કેસર કેરી આવનાર દિવસો માં મોંઘી થવાના એંધાણ લાગી રહ્યા છે.
આગળની પોસ્ટ