Aapnu Gujarat
ગુજરાત

વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની મદદે અહૅમ યુવા સેવા ગ્રુપ

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે જીવદયા અને પક્ષી પ્રેમી પરમ ગુરૂદેવ શ્રી નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી હાલના કોરોના મહામારીમાં લોકડાઉન સમયમાં હાલના ત્રણ દિવસમાં વાવાઝોડાની મુસીબતમાં ભાવનગર વિસ્તારના નવા બંદર રહેતા અગરિયા, લેપ્રેસિ માં રક્તપીડિત, રૂવા પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો અને ગધેડીયા ગ્રાઉન્ડમાં ઝુંપડા બાંધી રહેતા લોકોના છાપરા ઉડી જતાં નોંધારા બનેલ અંદાજે ગઈકાલે ૧૫૦૦ લોકોને મસાલા ખીચડી,તેમજ આજે ૩૦૦ જણા ને વેજીટેબલ ફુલાવ અને સમીરભાઈ ગાંધીના સહયોગથી બિસ્કીટ વિતરણ કરી લોકોની આંતરડી ઠારી માનવતાની જ્યોત પ્રસરાવી હતી.
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ની આજ્ઞાથી અહૅમ મેમ્બર ગૃપ દ્વારા નવાબંદર, રુવા, તેમજ ગધેડિયા ગ્રાઉન્ડ માં તાલપત્રી બાંધી ઝુંપડપટ્ટીના લોકોને સુરક્ષિત કરી પરમ સેવાનો લાભ મળ્યો તે બદલ અહૅમ યુવા સેવા ગૃપે ગુરૂદેવનો આભાર માન્યો હતો.

Related posts

ગુજરાત : નરેન્દ્ર મોદી ૯મીથી ઝંઝાવતી પ્રચાર કરે તેવી વકી

aapnugujarat

વિરમગામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકોને પોલિયોનાં ટીંપા પીવડાવીને રક્ષિત કરાયાં

aapnugujarat

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1