છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામે તળાવની નજીક આવેલ કટાભાઈ હિંમતભાઈ ના ખેતરમાં બે અજગરો દેખાયા હતા. આ બે મહાકાય અજગરોને જોઈ કટાભાઈ તેમજ તેમના પરિવારના સદસ્યો ચોંકી ગયા હતાં. જંગલ વિભાગમાં જાણ કરતા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ તથા વન રક્ષક ઉમેશ રાઠવા સ્થળ ઉપર દોડી ગયા હતા. એક અજગર ૧૪ ફુટ લંબાઈ તેમજ ૨૨ કિલો વજન ધરાવતો હતો ,જ્યારે બીજો અજગર ૧૨ ફૂટની લંબાઈ અને ૧૭ કિલો વજન ધરાવતો હતો.બંને અજગરને જંગલ વિભાગ દ્વારા સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)
આગળની પોસ્ટ