Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તળાવ પાસેથી બે અજગર પકડાયા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામે તળાવની નજીક આવેલ કટાભાઈ હિંમતભાઈ ના ખેતરમાં બે અજગરો દેખાયા હતા. આ બે મહાકાય અજગરોને જોઈ કટાભાઈ તેમજ તેમના પરિવારના સદસ્યો ચોંકી ગયા હતાં. જંગલ વિભાગમાં જાણ કરતા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ તથા વન રક્ષક ઉમેશ રાઠવા સ્થળ ઉપર દોડી ગયા હતા. એક અજગર ૧૪ ફુટ લંબાઈ તેમજ ૨૨ કિલો વજન ધરાવતો હતો ,જ્યારે બીજો અજગર ૧૨ ફૂટની લંબાઈ અને ૧૭ કિલો વજન ધરાવતો હતો.બંને અજગરને જંગલ વિભાગ દ્વારા સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

દલિતો દ્વારા કચ્છના રસ્તાઓ, હાઇવે અને રેલવે બ્લોક કરાયા

aapnugujarat

ધ્રાંગધ્રામા કોવીડ ગાઇડલાઇન્સ ઉલ્લંઘન કરતા ટ્યુશન ક્લાસીસ

editor

સુરત લોકસભા સીટ ભાજપ માટે મજબુત ગઢ સમાન રહીે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1