કાંકરેજ તાલુકાના ચીમનગઢ ખાતે ત્રણ દિવસ પહેલા ખેતરમાં સુઇ રહેલા ખેડૂત દીનેશ પટેલને રાત્રિના સમયે તેમના ખેતરમાં રાખેલા ભાજીયા દ્વારા કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી ને ફરાર થઇ ગયો હતો. શિહોરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં શિહોરી પોલીસે રાજેસ્થાનમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને શિહોરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.
(અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)