કાંકરેજ તાલુકા પૂર્વ વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉડા જતાં ખેડૂતોએ કિસાન એકતા સમિતિ કાંકરેજ તેમજ કિસાન સંઘ પાસે મદદ માંગતાં ખેડૂતો તેમજ હોદેદારો સાથે મળી સરકાર પાસે સુજલામ સુફલામ માયોનેર દ્વારા બનાસ નદીમાં નર્મદાના નીર નાંખવાની લેખિત રજુઆત કરેલ છે જયારે સરકાર તથા નર્મદા નિગમના લાગતા વળગતા અધિકારીઓના સાથ અને સહકારથી સુજલામ સૂફલામ મારફતે પાણી બનાસ નદીમાં નાંખવાનું શરૂ કરેલ છે જયારે પાટણથી ઉંબરી બનાસ નદી સુધી આવતી સુજલામ – સુફલામ કેનાલમાંથી ચારૂપ કાનોસણ ગામ પાસે વોળામાં અને ચારૂપ પાસે વોકળામાં પાણી ગેટ મેનની ગેરહાજરીમાં જઈ રહેલ છે, જો ખરેખર તપાસ કરવામાં આવે તો આ નર્મદાના અધિકારીઓ કે ત્યાં નોકરી કરતા ગેટ મેનો પોતાની મનમાની ચલાવી રહયા છે તે બહાર આવે તેવું ખેડૂતો કહી રહયા છે તેમજ બનાસ નદીમાં પાણી પુરતુ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ બાબતે કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા આ બાબતની તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે.
(અહેવાલ :- મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)
પાછલી પોસ્ટ