Aapnu Gujarat
Uncategorized

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ ઉજવાઈ

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર વંદના તથા પુષ્પાંજલીથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વેરાવળ કે.કે.મોરી સ્કુલના બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ પર ગીત રજુ કરી, બી.વી.જી લિમિટેડના કર્મચારીઓ દ્વારા “પ્લાસ્ટીક હટાવો જીવન બચાવો”ના સુત્રોચ્ચાર દ્વારા ઉપસ્થિત સર્વે લોકો તેમજ યાત્રિકોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજીના પ્રસંગોની તૈયાર કરેલ ફોટા ેપ્રદર્શની વેરાવળ એસ.ડી.એમ નિતિન સાંગવાનના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.શ્રી સોમનાથ મંદિરથી હમીરજી સર્કલ સુધી સ્વચ્છતા રેલી દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં વેરાવળ એસ.ડી.એમ નિતિન સાંગવાન, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ મતી મંજુલાબેન સુયાણી, નગર પાલિકા ચીફ ઓફિસર જતિન મહેતા, વેરાવળ સીટી અને ગ્રામ્ય મામલતદાર દેવકુમાર આંબલીયા, હસમુખ ચાંદેગરા, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, બી.વી.જીના અધિકારી અને કર્મચારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

રાજકોટમાં જીએસટી વિભાગનો ૮ પેઢીઓ પર સપાટો

aapnugujarat

બીઆરટીએસના મુસાફરો માટે પાસ યોજના શરૂ કરાશે

editor

મૂંછો રાખવા બાબતે કરકથલ ગામમાં દલિત ભાઈ – બહેન પર હુમલો

editor

Leave a Comment

UA-96247877-1