Aapnu Gujarat
શિક્ષણ

કાંકરેજ તાલુકાનાં પાદરડી ગામની શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગાંધી જ્યંતિ ઉજવાઈ

રાષ્ટ્રપિતા અને સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ ચીંધનાર પ.પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતિની ઉજવણી પ્રસંગે સમગ્ર દેશમાં ભજન – કીર્તન,ગાંધીજીના વિચારો, પ્લાસ્ટિક મુકત ભારતના સંકલ્પ, સ્વચ્છ ભારત વિશે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી શાનદાર રીતે ઉજવવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બાળકોએ બાપુના વિચાર રજુ કર્યા હતા તેમજ સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમો કર્યા હતા. આ પ્રસંગે શાળાના બાળકો તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થી નિરવ સેજને બાલશ્રી સન્માન રાષ્ટ્રીય એવોર્ડ એનાયત

editor

દેશના ૮ રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન

editor

જીટીયુમાં ચોરીના સંદર્ભે ૩૦૬ વિદ્યાર્થીઓને સજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1