Aapnu Gujarat
Uncategorized

ભાજપનાં કાર્યકર્તા અને સામાન્ય જનતાએ અમરાઈવાડી વિધાનસભા મત વિસ્તારમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

તારીખ ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ દેશના લોકપ્રિય જનસેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત નો કાર્યક્રમ અમરાઈવાડી વિધાનસભાના, ઇન્દ્રપુરી વોર્ડ, કર્ણાવતી ખાતે નિહાળ્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના યશસ્વી અધ્યક્ષ શ્રી ડો. પ્રદ્યુમનભાઇ વાજા સાહેબ, કોષાધ્યક્ષ શ્રી ઉમંગ સરવૈયા, પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ શ્રી દેવેનભાઇ વર્મા, સહ ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ પરમાર, સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ શ્રી વિમલભાઈ પાટીલ, સહ ઇન્ચાર્જ શ્રી કલ્પેશભાઈ સોલંકી, પ્રદેશના મોરચાના કારોબારી સભ્યશ્રી ડો.રાકેશભાઈ સક્સેના, શ્રી ડાહ્યાભાઈ પરમાર, અમરાઈવાડી વોર્ડના પાર્ટીના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, કર્ણાવતીના પાર્ટીના આમંત્રિત સભ્યશ્રી રાજેશભાઈ બોર્ડે, શ્રી કમલેશભાઈ જયસ્વાલ, મોરચાના વોર્ડ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ લાવઅંતરા, મહામંત્રી કમલેશભાઈ ભાસ્કર, માજી કાઉન્સિલર શ્રીમતી મણીબેન સોલંકી, પૂર્વ ઉમેદવાર શ્રી વિનોદભાઈ, શ્રી હરીશભાઈ વાઘેલા, શ્રી દિનેશભાઈ ચાવડા તથા અમરાઈવાડી વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ નિહાળવા માટે ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ, કાર્યકર્તાઓની સાથે સાથે મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ જાેડાયા હતાં.

Related posts

તાંત્રિક વિધિ નામે કરોડોની છેતરપિંડી કરનાર પકડાયો

aapnugujarat

લાઠીમાં બે પોલીસકર્મી પર હુમલો કરી બુટલેગરોને છોડાવી જવાયા

aapnugujarat

૨૦ કિલો ચાંદી,૩ તોલા સોનુ ભરેલી બેગ લઈ લૂંટારુ ફરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1