Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત એસ.ટી. દ્વારા દિવાળી માટે ‘આપ કે દ્વાર’ યોજના શરૂ

દિવાળીના તહેવારમાં વેકેશન મનાવવા લોકો વતન જતા હોય છે. અને, દિવાળીના તહેવારોમાં એસટી બસ અને રેલવે સ્ટેશન પર સવિશેષ ભીડ થાય છે. ત્યારે આ પરિસ્થિતિને ખાળવા એસટી વિભાગ દ્વારા આ ર્નિણય લેવાય છે. જેથી મુસાફરોની સગવડમાં વધારો થાય અને બસ સ્ટેશન પર ઉમટતી ભીડને ખાળી શકાય. ત્યારે મુસાફરોની સગવડ માટે લેવાયેલો આ ર્નિણય ખરેખર પ્રસંશનીય છે.દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વતન જતા હોય છે. ત્યારે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે એસટી નિગમ દ્વારા ૨૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર દરમિયાન એસટી “આપ કે દ્વારે” યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૫૧ સીટનું ગ્રુપ બુકિંગ કરાવતા લોકોને નિગમ દ્વારા તેમની સોસાયટીથી પીકઅપ કરી તેમના ગામ સુધી નોનસ્ટોપ બસ સર્વિસ દ્વારા પહોંચાડવામાં આવશે. પરિવારના સભ્યો દ્વારા જે તે રૂટ ૫૨ ઓનલાઈન ગ્રુપ બુકિંગ પર ૫ ટકા તેમજ રિટર્ન ટિકિટમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સુરત જેવા શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના લોકો વસે છે. તેઓ દિવાળી દરમિયાન સુરક્ષિત અને સરળતાથી વતન પહોંચી શકે તે માટે જરૂરિયાત મુજબ રેગ્યુલર બસો ઉપરાંત ડિમાંડ મુજબ વધારાની બસો પણ દોડાવવા જી્‌ નિગમે ર્નિણય લીધો છે.

Related posts

હાઈકોર્ટે રૂપાણી સરકારને પૂછ્યુ, સ્વીકારો છો કે તમે નિષ્ફળ ગયા ?

editor

ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા હાથરસ તેમજ રાપરની ઘટનાઓને લઇને જીલ્લા કલેકટરને આવેદનપત્ર સોંપાયું

editor

ધર્મેન્દ્રસિંહ ચંપાવતનું ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1