ભારતમાં ૨૪ કલાક માં આવેલા આંકડા એ બધા રેકોર્ડ બ્રેક કર્યા છે ત્યારે કોરોના ના વધતા ખતરાને કારણે છ રાજ્યો માં કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યું જાહેર કરાયું છે.મંગળવારે કોરોનાના એક લાખ થી વધુ કેસ નોધાયા હતા.
છતીસગઢની રાજધાની રાયપુરને કન્ટેન્મેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યું છે.ત્યારે રાયપુર માં ૧૦ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આ લોકડાઉન ૯ એપ્રિલ થી શરુ થશે.જેની જાણકારી રાયપુર કલેકટરે આપી હતી.કહી શકાય કે વધતા સંક્રમણ ને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.