હિમતનગરથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે, હિમતનગર તાલુકા પંચાયત કચેરી સમક્ષ લગાવેલા બોર્ડમાં છબરડાનો મામલો સામે આવ્યો હતો.જેમાં વિજય રૂપાણીને ગુજરાત ના બદલે ભારતના મુખ્યમંત્રી દર્શાવવામાં આવ્યા હતા.બાદમાં અહેવાલ રજુ થતા તંત્રએ પોતાની આંખ ખોલી હતી,અને પોતાની ભૂલ સુધારી હતી.બોર્ડ પર કલર કરી પીંછીથી ભારતની જગ્યાએ ગુજરાત લખ્યું હતું.
પાછલી પોસ્ટ