મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે,ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે સિનિયર સીટીઝન અને આમ આદમી માટે કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. હવે લોકો કોરોના મહામારીનો સામે સ્વયંભૂ રીતે જાગૃત થઈ કૉરોના વેકસીન લેવા માટે સમજતા થયા છે, ત્યારે લોકોમાં રસીકરણને લઈને લોકજાગૃતિ કેળવવાના આશય સાથે મહેસાણાના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મહેસાણાની ગેલેક્સિ હાર્ટ હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.
વેકસીન લીધા બાદ સાંસદશ્રીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મેં કોવિડ વેકસીનનો બીજો ડોઝ લીધો છે. મને કોઈ જ જાતનું કોઈ જ પ્રકારની આડ અસર દેખાતી નથી. આથી જ હું બધાને કોરોના રસી લેવા માટે ખાસ અપીલ કરું છું. આ રસી સેફ છે. અને સલામત છે. દરેકે રસી લઈને આપણે સ્વસ્થ રહીએ પરિવારને સ્વસ્થ રાખીએ અને કોરોનાને અટકાવીએ.