માઠા સમાચાર, ખેડૂતો તેમજ માછીમારો સાવધાન તંત્રએ શું આપી ચેતવણી? તળાજા તાલુકાના અલંગ સરતાનપર બંદર સહિતના સાગર ખેડૂતો માટે હવામાન વિભાગે આગાહી આપી છે ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. ભરઉનાળે માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 અને 21 એપ્રિલે ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા શહેર તાલુકામાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે 20 એપ્રિલે ભાવનગર જિલ્લા ના તળાજા તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ છૂટોછવાયો વરસાદ વરસશે. આ સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેને લઇને માછીમારોએ પણ જણાવ્યા અનુસાર ના સમય દરમિયાન દરિયો નહીં ખેડવા હવામાન વિભાગે અનુરોધ કર્યો છે ભારે પવન સાથે કમોસ મી વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતા નો વધારો થયો છે તળાજા તાલુકાના અલંગ સરતાનપર બંદર સહિત ના સાગર ખેડૂતો માટે હવામાન વિભાગે આગાહી આપી છે
પાછલી પોસ્ટ