કંગના રનૌત હમેશા કોઈપણ મુદ્દામા બેબાક બોલવા માટે ચર્ચામાં રહે છે.તાજેતરમાં જ તેણી ને ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.આ ઉપલબ્ધિ બાદ ચારેબાજુ તેની પ્રસંશા થઈ રહી છે.ત્યારે બોલીવુડના પ્રખ્યાતનામ ફિલ્મમેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ કંગનાની પ્રસંશા કરી હતી.ચોતરફ પોતાના વખાણ થી કંગના ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું એક અનિચ્છનીય બાળક હતી. આજે હું શ્રેષ્ઠ અને ઉત્સાહી ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ટેકનિશિયન સાથે કામ કરું છું. હું મારા કામને પૈસા માટે નહીં, ખ્યાતિ માટે કામ નથી કરતી.જ્યારે દુનિયાના સારા લોકો મને જોઈને કહે છે કે તું આ કરી શકે છે. તો મને ખ્યાલ છે કે હું અનવૉન્ટેડ હોઈ શકું નહીં
આગળની પોસ્ટ