ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે, ડભોઈના વડજ ગામે રહેતો રૂપેશ કનુભાઈ તડવી તેના ખેતરે કામ અર્થે ગયો હતો. ત્યાં થી પસાર થતી નર્મદા મેઈન કેનાલ મા તે પાણી પીવા જતા તેનો પગ લપસી જતા તે કેનાલ મા ડૂબ્યો હતો. ગત રોજ બનેલ ઘટના ને પગલે ગ્રામજનો એ તેની શોધખોળ શરૂ કરી હતી, પણ મોડી સાંજ સુધી શોધ ખોડ કર્યા બાદ પણ તેનો મૃતદેહ મળ્યો નહોતો. વહેલી સવારે ડભોઇ તેમજ વડોદરા ફાયર ટિમ ને જાણ કરતા ફાયર ટિમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે 35 કલાક નો સમય વીત્યો હજી સુધી મૃતદેહ મળ્યો નથી. ગ્રામજનો પણ મૃતદેહને શોધવામાં લાગી ગયા છે. ઘટનાથી કેનાલ પાસે લોક ટોળા ઉમટી પડી હતી..
પાછલી પોસ્ટ