સમાજવાદી પાર્ટી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને વિભાજિત દેખાઈ રહી છે. મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવના નેતૃત્વમાં બે જુદા જુદા કેમ્પ ચૂંટણીને લઇને વિભાજિત છે. ક્રોસ વોટિંગની શક્યતા પણ દેખાઈ રહી છે. અલબત્ત પાર્ટીમાં વિભાજનની સ્થિતિ ચૂંટણી પરિણામો પર કોઇ અસર કરશે નહીં. પારિવારિક વિખવાદની સ્થિતિ વધુ જટિલ બનેલી છે. નામ જાહેર નહીં કરવાની શરતે સપાના એક નેતાએ માહિતી આપતા કહ્યું હતું કે, પારિવારિક વિવાદ હજુ પણ જારી છે. રાષ્ટ્રપતિના ઉમેદવારના મુદ્દા પર પણ સમાજવાદી પાર્ટીમાં મતભેદ છે. એનડીએના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદ અને યુપીએના ઉમેદવાર મીરાકુમારને લઇને સપા વિભાજત છે. મુલાયમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. મોદીના સન્માનમાં ૨૦મી જૂનના દિવસે આ ડિનરનું આયોજન કરાયું હતું.
આગળની પોસ્ટ