Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસ એ મહામાયા છે : દેશહિતોની સુરક્ષા

કૉંગ્રેસ એ મહામાયા છે
શ્રમજીવી વર્ગનું તો કૉંગ્રેસ કલ્યાણ કરનાર નથી, કૉંગ્રેસ એ માયા છે. આ મહામાયાના મોહપાશમાં ભોળવાઈને તમારૂ અધઃપતન નોતરતા નહીં. તમને ખબર છે કે એક જો ઘેટાને કહે કે, ‘ચાલ, હું તને સ્વર્ગમાં પહોંચાડું છું.’ પરંતુ ખરેખર તો તે વરૂ ઘેટાને સ્વર્ગમાં પહોંચાડવાને બદલે તેને અધવચ્ચે જ ફાડી ખાયને તેને સાચા અર્થમાં સ્વર્ગ દેખાડ્યા વિના રહેશે નહીં. આ માટે સૌ સમયની સાથે જાગૃત રહો, આમાં ખરૂ ખોટું શું છે. તે પોતાની વિવેકબુદ્ધિથી નક્કી કરો.
(મું. દૌડ, જિ. પૂણે, ૭ નવેમ્બર, ૧૯૩૭, ‘જનતા’ સાપ્તાહિક : ૨૦ નવેમ્બર, ૧૯૩૭)

દેશહિતોની સુરક્ષા
દેશભક્તિ અને દેશહિતોની સુરક્ષાની બધી જવાબદારી શું કૉંગ્રેસને વારસામાં મળી છે ? એવો કૉંગ્રેસનો દાવો છે. કૉંગ્રેસ કહે છે કે ડૉ. આંબેડકર જાતિવાદી છે. એ કહે છે કે ડૉ. આંબેડકર વિશ્વાસઘાતી છે, કારણ કે એ ક્યારેય જેલમાં ગયા નથી. મને એ સમજાતું નથી જેલ જવાથી કોઈ વ્યક્તિ દેશભક્ત કેવી રીતે બની જાય ? એ સાચું છે કે હું ક્યારેય જેલ ગયો નથી. હું જેલમાં ગયો હોત તો ચોક્કસ મને ‘એ’ શ્રેણીની સુવિધા મળી હોત. હું ઢોંગી નથી કે ‘એ’ શ્રેણીની સુવિધાઓ ભોગવીને મારા સમર્થકો આગળ જુઠ્ઠું બોલું. આજે કૉંગ્રેસી માત્ર નામ પૂરતા જેલ જાય છે.
(વ્યાપાર વિવાદ વિધેયકનો વિરોધ કરવા માટેની સભા, મુંબઈ, ૬ નવેમ્બર, ૧૯૩૮)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

EVENING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ લડશે અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1