ખેડૂત આંદોલનનો આજે 85મો દિવસ છે. ત્યારે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં રેલવે રોકશે. ખેડૂતોની જાહેરાત પછી તંત્ર સતર્ક થઈ ગયું છે.ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ,રેલવે રોકતી વખતે બાળકોને મુશ્કેલી ન પડે એટલા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટીકરી બોર્ડેર દ્વારા મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે.રેલ્વેતંત્ર દ્વારા રેલ્વે પોલીસ તેમજ એજન્સી દ્વારા હાઈ એલર્ટ રાખવામાં આવી રહ્યું છે.રેલ્વે પોલીસના જવાનો પણ સુરક્ષા માટે તહેનાત કરી દેવામાં આવ્યા છે.રેલ્વે સુરક્ષા સેના DG અરુણ કુમાર દ્વારા આંદોલનકારીઓ ને આપીલ કરી છે કે, પ્રદર્શન શાંતિપૂર્ણ કરે તેના થી અન્ય કોઈ ને મુશ્કેલી ન પડવી જોઈએ.