શનિવારે રાત્રે વડોદરા જાહેર સભામાં મુખ્યમંત્રી રૂપાણીનું બ્લડ પ્રેશર લો થઈ જતા તેમની તબિયત લથડી હતી. જે બાદ તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને ૨૪ કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા.જ્યાં તેમના તમામ રિપોર્ટ નોર્મલા આવ્યા હતા પરંતુ આજે સવારે આવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઘણા દિવસો થી તેઓ પ્રચારમાં જોડાયા હતા.જયા તેમને અનેક કાર્યકર્તા અને નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. તેમની સાથે ભીખુભાઈ દલસાણીયા અને વિનોદ ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આગળની પોસ્ટ