ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વદી જણાવે છે કે,
હાલ આવનારી સ્થાનિક સ્વરાજ નગરપાલિકાની ચૂંટણી તથા જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીને લઈ મતદાન જાગૃતિના અધિકારીઓ દ્વારા મતદાન જાગૃતિના સેમિનાર યોજી મતદાતાઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લા આયુર્વેદ અધિકારી અને મતદાન જાગૃતિના જિલ્લા નોડલ અધિકારી સુધીર જોશી મતદાન જાગૃતિ વિભાગના નાયબ મામલતદાર પ્રવિણસિંહ ડોડીયા તથા સાયન્સ કોલેજમાંથી સુનિલભાઈ તેમજ બારીયા સાહેબની ઉપસ્થિતિમાં આ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાતાઓને પોતાનો વોટ આપવાની પ્રેરણા સલાહ સૂચનો અને સમજણ આપવામાં આવી હતી.