મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી વિસ્તારનાં લોકોને પીવા માટેનું પાણી ફ્લોરાઈડ યુક્ત મળતું હતું જેને લઈ આ વિસ્તારના રહીશો છેલ્લા ૨૦ વર્ષથી આ બાબતે સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા હતા. નાગરિકો ટયૂબવેલનું ફ્લોરાીડયુક્ત પાણી પીવા મજબૂર હતા. આ વિસ્તારના નાગરિકો દ્વારા નર્મદાનું પાણી મેળવવા વિવિધ કક્ષાએ રજુઆત કરવામાંઆવી હતી. વર્ષ ૨૦૧૭થી અમૃત યોજના અંતર્ગત માનવઆશ્રમ વિસ્તારમાં ૧૦ ઓવરહેડ ટાંકીઓ, ડિસ્ટ્રીબ્યુશન લાઈન વગેરેનો સમાવેશ કરતા પ્રોજેક્ટનું કામ પાલિકા દ્વારા શરૂ કરાયું હતું. આ પ્રોજેક્ટ દ્વારા નર્મદાના પાણી નો લાભ વિવિધ વિસ્તારને મળી રહેશે.
(તસવીર – અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)
આગળની પોસ્ટ