ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી છે. ભાજપ સરકાર સરદારના સ્ટેચ્યુના નામે રાજનિતિ કરવા નિકળી છે. સાથે સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની, ખેડૂતો આત્મહત્યા કરે છે. અછતને નામે સરકાર રમત રમી રહી છે. તેમજ સરદારના સ્ટેચ્યુના નામે રાજકારણ રમતી હોવા સહિતના વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
આ ઉપરાંત મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, રોજગારી, કાયદો વ્યવસ્થા સહીતના તમામ મુદ્દે સરકાર નિષ્ફળ રહી છે. અને શાંતિપ્રિય પ્રજા ગણાતા ગુજરાતમાં યુપી બિહારની જેમ ખુલ્લે઼આમ ખૂન, બળાત્કારની ઘટના બની રહી છે. ચાવડાએ કચ્છમા અને ભાવનગરના મહુવામાં થયેલી હત્યાઓ અંગે પણ ખેદ વ્યક્ત કર્યો હતો. અને સરકારની કે પોલીસની પક્કડ ઢીલી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.આ ઉપરાંત ચાવડાએ હાલની સરકારને ઉત્સવોમાં રાચતી સરકાર ગણાવી હતી. અને સરદારને પુરા વિશ્વના નેતા ગણાવી તેના નામે ભાજપ સરકારે જે રીતે સ્ટેચ્યુના નામે રાજનીતિ શરુ કરી છે. તે બાબતે પ્રહારો કર્યાં હતાં. અને આદિવાસીની રોજગારી છીનવાઇ હોવાનું, ખેડૂતો આત્મહત્યા કરતા હોવાનું અને અછત માટે કોઇ સુચારુ આયોજન કરવાને બદલે કોઇ એક તાલુકામા એક ગામનો સર્વે કરી અછત જાહેર કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. અને સમગ્ર ગુજરાતમાં અછતની પરિસ્થિતિ હોવાનું જણાવ્યું હતું.
આગળની પોસ્ટ